Leicester Satsang
Q: આપની નબળી પ્રકૃતિ હોઈ અને જ્ઞાન પછી જેટલા જ્ઞાન માં રહી એટલું જબરી પ્રકૃતિ વાળા આપણને દબ્વ્યા કરે ?
D: એવું કઈ નથી. નબળી પ્રકૃતિ વાળા પ્રકૃતિ ને હિશાબે હેરાન નથી થતા પણ પાપ ના ઉદય ને હિશાબે હેરાન થાય છે. નબળી પ્રકૃતિ વાળા ને જયારે પાપ નો ઉદય હોઈ ત્યારે જબરી પ્રકૃતિ વાળા તરફથી હેરાન થવું પડે છે. પછી જયારે પુણ્ય નો ઉદય થાય ત્યારે ગમે તેવું લોકો હેરાન કરવા જાય તોઈ હેરાનગતિ નથી આવતી. મારી પ્રકૃતિ ને લોકો નબળી કહેતા હતા અને હું સમભાવે નિકાલ કરતો હતો.મારો હિશાબ પુરો થઇ ગયો એટલે અત્યારે મારી સાથે ઘણા જબરી પ્રકૃતિ વાળા છે પણ મને હેરાન નથી કરતા. મેં એટલા વર્ષો સમભાવે નિકાલ કર્યો તો અત્યારે લોકોએ મને અહિયા બેસાડ્યો છે.
નબળી પ્રકૃતિ વાળા જયારે હેરાન થાય ત્યારે શું રાખવા જેવું છે કે મારે સમભાવે નિકાલ કરવો છે. જયારે જબરી પ્રકૃતિ વાળા એ એવું રાખવા જેવું છે કે મારાથી કોઈને દૂખ ન થાય. બાકી મેં ઘણા લોકો ને જોયા છે કે બહુ જબરી પ્રકૃતિ હોઈ ને લોકો ને દૂખ આપતા હોઈ પણ ૨૦-૩૦ વર્ષ પછી જયારે પુણ્ય પરવારે ત્યારે લાચાર થઇ ગયેલા જોયા છે. પછી બહુ દુખી થાય. કુદરત ફળ આપે જ છે. જયારે પાપ નો ઉદય આવે ત્યારે બીજા જબરા લોકો એને બરોબરનો સીધો કરે અને આ ત્યારે લાચાર હાલત માં હોઈ.
very true.exactly happened with one of our relative.with his aggresive prakruti he did lot of good work as well hurted so many people,by his ruling nature.but when setback came into his life he could not face it.we r so lucky ,that with the help of gyan and gyani's guidance we can see our mistakes and resolve it.dada aapne ane aapna gyanne koti koti vandan.
ReplyDeleteThis is what we experience in day to day life and Pujyashri has given a simple chabi to deal with it. Dada nu Gnan mahan che and Dada mahan che. Deppakbhai ne koti koti vandan
ReplyDelete