Explore the world of Akram Vignan

Niruma KhatPat

આજના સત્સંગ માં એક જુના મહાત્મા એ બહુ સરસ અનુભવ કહ્યો. એમને દાદા વિષે ૧૯૮૭ માં સાંભળ્યું. એમના સગા ભાઈ દાદા માં ઓતપ્રોત થઇ ગયા. એમને પછી નીરુમાં પાસેથી જ્ઞાન લીધું. નીરુમાં અને દિપકભાઈ બને એમના ઘરે સત્સંગ માટે પણ ગયા. પણ એટલા વર્ષો માં એમને કોઈ દિવસ જ્ઞાન ની કીમત નહોતી થઇ. એમને આજ્ઞા અથવા સત્સંગ  માટે કોઈ સીરીયેસ્નેસ ન આવી. આ ૩ દિવસ ના સત્સંગ માં એમને જ્ઞાન નો અદભૂત અનુભવ થયો અને લાગ્યું કે આટલા વરસો અમસ્તા ગુમાવ્યા. ખૂબ અફસોસ તો થયો પણ સાથે સાથે જ્ઞાન નો અદભૂત આનંદ નો પણ અનુભવ થયો.

એવા એટલા બધા અનુભવ થયા છે  કે જેટલા લોકો નીરુમાં ને મળ્યા પણ બરોબર ચોટયા નહિ એવા એક એક ને પકડી ને દાદા માં નીરુમાં બરોબર ચોતાડે છે.  લેસ્ટર માં પણ નીરુમાં ઘણા વખત આવ્યા હતા પણ જામતું જ ના હતું, એક વખત તો ૫૦૦ માણસ ના હોલ માં ૧ જ નવા મુમુક્ષુ આવ્યા હતા. જયારે આજે લેસ્ટર યુ.કે. નું ખુબ જ ધક્માંકતું સેન્ટર થઇ ગયું છે જ્યાં રેગુલર સત્સંગ માં ૧૫૦ મહાત્મા ભેગા થાય છે.

0 Comments:

Post a Comment